અંધકારમાંથી
પ્રકાશ તરફ ગતિ કરવા,
તમામ
સ્થિતિસંજોગોમાં સ્થિર અને સંતુલિત જીવન જીવવા
ગીતામાં ભગવાન
શ્રીકૃષ્ણએ પ્રકટ
કરેલા 108
રહસ્યો
‘આ પુસ્તકમાં
ગીતાનું હાર્દ સરળ, સુંદર અને રસપ્રદ રીતે વણી લેવાયું છે, જે ભગવાન શ્રીકૃષ્ણનાં
રહસ્યોને 21મી સદીમાં ઝડપી જીવનમાં સંતુલિત અભિગમ કેળવવા વધારે પ્રસ્તુત બનાવે છે.
યુવા પેઢી માટે અનિવાર્ય આવશ્યક પુસ્તક’
અજય પિરામલ,
ચેરમેન, પિરામલ ગ્રૂપ
“ગીતાએ વિચારકો, સાધકો અને સાહસિક જીવન-સંશોધકોની અનેક
પેઢીઓને પ્રેરિત કરી છે. સંસ્કૃત શ્લોકો આપણાં હૃદયોમાં જાગતાં ઊંડા પ્રશ્રોના
જવાબ આપે છે અને સૌથી મૂળભૂત માનવીય દુવિધાઓનું સમાધાન કરે છે. તેમ છતાં આપણે એ
ગ્રંથને મર્મસ્પર્શી રીતે સમજાવી શકે અને તેનું હાર્દ સુંદરતાપૂર્વક આપણી સમક્ષ
રજૂ કરી શકે એવી વિદ્વાન વ્યક્તિઓની જરૂર છે. ગૌરાંગ દર્શન દાસ આવી જ વિદ્વાન
વિભૂતી છે. આપણે શહેરી જંગલમાં જીવીએ છીએ. આ આધુનિક કુરુક્ષેત્ર છે. તેમાં સુંદર,
શાંત અને સંતુલિત જીવન જીવીને સર્વાંગી વિકાસ સાધવા ગૌરાંગ દર્શન દાસે ગીતાને આધુનિક
રીતે પ્રસ્તુત શૈલીમાં પ્રસ્તુત કરી છે. તમને આ પુસ્તકનો એક વાર નહીં, વારંવાર
અભ્યાસ કરવો ગમશે” -
એસ બી
કેશવ સ્વામી, આધ્યાત્મિક લેખક અને સમુદાય માર્ગદર્શક “ગીતાની શાશ્વત સુંદરતા શું છે? કોઈ પણ યુગમાં તેની પ્રસ્તુતતા અને ઉપયોગિતા. ભગવાન
શ્રીકૃષ્ણે હજારો વર્ષ અગાઉ કુરુક્ષેત્રમાં દુનિયાના સૌથી મહાન ધનુર્ધર અર્જુન
સમક્ષ ગીતાનું ગાન કર્યું હતું. ગીતા જેટલી દ્વાપર યુગમાં પ્રસ્તુત હતી, એટલી જ
પ્રાસંગિક હાલ કળિયુગમાં છે. આપણાં શાસ્ત્રોની ઊંડી સમજણ સાથે ગૌરાંગ દર્શન દાસ એક
અસાધારણ વક્તા, શિક્ષક અને આધ્યાત્મિક લેખક તરીકે બહાર આવ્યાં છે. તમસો મા
જ્યોતિર્ગમયમાં તેમણે ગીતાનો સાર શાનદાર રીતે પ્રસ્તુત કર્યો છે. તેમાં
ગીતાનું જ્ઞાન આધુનિક જીવન માટે, ખાસ કરીને 21મી સદીમાં પ્રાસંગિક થઈ ગયું છે.
હાલની જટિલ દુનિયામાં પણ શાંતિ અને સ્પષ્ટતા મેળવી શકાય છે એની યાદ આ પુસ્તક અપાવે
છે” -
અજય
પિરામલ, ચેરમેન, પિરામલ ગ્રૂપ “શું તમે જીવનમાં પરિપક્વ બનવા ઇચ્છો છો? તમે સંતુલિત જીવન જીવવા ઇચ્છો છો? આ માટે તમે જીવનમાં પરિવર્તન કરવા માર્ગદર્શન મેળવવા ઇચ્છો
છો? તો આ પુસ્તક તમારા માટે જ લખાયું છે. યુવા પેઢીથી લઈને
વયોવૃદ્ધ એમ તમામ વયના લોકો માટે આ જીવનોપયોગી પુસ્તકનો અભ્યાસ અનિવાર્ય આવશ્યક
છે. ચિત્તની શાંતિ અને સ્થિરતા સાથે દરેક વાંચક સ્વવિકાસનો અનુભવ કરશે, તેમની અંદર
સમજણનું સ્તર વધશે” -
શ્રીયા
સરન, અભિનેત્રી અને કથક નૃત્યાંગના “યુદ્ધની જીવનમરણની સ્થિતિનો સામનો કરનાર સૈનિક તરીકે હું
આંતરિક શાંતિનું મહત્ત્વ સારી રીતે સમજું છું. તમસો મા જ્યોતિર્ગમયમાં
ગૌરાંગ દર્શન દાસે ગીતામાંથી સદાબહાર બોધપાઠ રજૂ કરે છે અને એ પણ 21મી સદીમાં
આધુનિક જીવનને પ્રસ્તુત રીતે. તેઓ વર્તમાન દુનિયાની અરાજકતા વચ્ચે શાંતિ મેળવવા
વ્યવહારિક માર્ગદર્શન આપે છે. આ પુસ્તક જીવનનાં પડકારોને વ્યક્તિગત વિકાસ અને
શાંતિની તકોમાં બદલવા ઇચ્છતાં લોકો માટે અનિવાર્ય આવશ્યક છે” -
યોગેન્દ્ર
સિંહ યાદવ, પરમ વીર ચક્ર, કારગિલ યુદ્ધ |