Book Details
Author | Ashok Kumar Pandey |
Co-author | Hemant Shah |
Publication | Kalpavriksha Publication |
Language | Gujarati |
Edition | First |
Category | True Story |
Pages | 256 |
Dimension | 21.5 x 14 x 1.5 cm |
Weight | 280 gm |
ISBN | 9788196573515 |
About Book | નથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કેમ કરી? આ પ્રશ્નનો જવાબ 256 પાનાંના આ પુસ્તકમાં લેખક અને વિખ્યાત ઇતિહાસકાર અશોક કુમાર પાંડેયએ ૪૭૯ દસ્તાવેજી સંદર્ભો સાથે આપ્યો છે. ગોડસે કયા સંગઠન અને કઈ વ્યક્તિઓ સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા અને તેમણે કેસની કાર્યવાહી દરમ્યાન આપેલું લાંબું બયાન કેટલું વાહિયાત અને મહાન જૂઠ્ઠાણું હતું એની દસ્તાવેજી વિગતો સાથેની છણાવટ આ પુસ્તકમાં છે. કોની કઈ વિચારધારા ગાંધીની સર્વસમાવેશી અહિંસક વિચારધારાની વિરુદ્ધ હતી કે જે ગોડસે અને તેમના સાગરીતોને મહાત્માની હત્યા કરવા તરફ લઈ ગઈ એ આ પુસ્તકથી લેખક સરળ રીતે સમજાવે છે. પંજાબી, મરાઠી અને અંગ્રેજી ભાષામાં થયેલા આ પુસ્તકના અનુવાદ પછી એ આવી રહ્યું છે ગાંધીની પોતાની માતૃભાષામાં. આવો, રામનામથી શરૂ થયેલી આપણાં રાષ્ટ્રપતિા મહાત્મા ગાંધીની જીવનયાત્રાનો અંત 'હે રામ!' સાથે કેવી રીતે થયો તે સમજીએ. જો તમે ગાંધીજીની હત્યા પાછળનું સત્ય સમજવા કોઈ પણ પ્રકારનાં પૂર્વગ્રહ વિના તૈયાર હોવ તો આ પુસ્તક તમારાં માટે અતિ ઉપયોગી છે. |